Posts

Showing posts from July, 2018

હું સંસ્કૃતિરક્ષક કે સંસ્કૃતિભક્ષક?

Image
શુન્યતાના સ્પર્શે છબી તારી ઉપસી, લાગ્યું એવું જાણે સમય પડે લપસી. અંધકાર ઉલેચતા થાકી, હારી, પલળી, પ્રસ્વેદની ધાર જાણે હાડ મહી ઉતરી. હાલમાં રાણી પદ્માવતીના જીવનને કથીત રીતે દર્શાવતી ફિલ્મ પર જબ્બર ઉહાપોહ જોવા મળી રહ્યો છે. ફિલ્મસર્જકોએ ઇતિહાસ સાથે છેડછાડ કરી રાણી પદ્માવતીનું અપમાન કર્યાના આરોપ સાથે ફિલ્મ રિલીઝ ન થવા દેવાના મુદ્દે અનેક સંસ્થાઓ આંદોલનો કરી રહ્યા છે. આ આંદોલનોએ ઘણી જગ્યાએ રૌદ્રરૂપ પણ પકડ્યું છે. આ પહેલા પણ ઇતિહાસ સાથે છેડછાડ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઇતિહાસને વિકૃતરૂપે દર્શાવવાના આરોપો થયા છે. આ મુદ્દે લોકો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. કેટલાકના મતે ઇતિહાસ સાથે છેડછાડ સાંખી શકાય તેમ નથી તો કેટલાકને મનોરંજનને ફ્ક્ત મનોરંજનની દ્રષ્ટિએ જ જોવું એ યોગ્ય લાગે છે. આ મુદ્દે વર્તમાન સમયે ધાર્મિક, સામાજીક અને રાજનૈતિક ઉન્માદ એટલો વકર્યો છે કે સામાન્ય માનવીને એ ખ્યાલ નથી આવી શકતો કે શું સાચુ છે અને શું ખોટુ? આ ઉન્માદ વચ્ચે માણસ આજે પોતાના ધર્મ, સમાજ અને રાષ્ટ્રભાવનાની વ્યાખ્યા બાબતે શુન્યતાનો અનુભવ કરે છે. પોતે વર્ષોથી જે સંસ્કૃતિના વિચારોને લઇને જીવ...